અમદાવાદ,ગુજરાત
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ કાલથી હરિયાણામાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી ડૉ. સંદીપ પાઠકે ગુરુવારે પાર્ટી મુખ્યાલયમાં મીડિયા સાથે રૂબરૂ થતા જણાવ્યું કે આમ આદમી પાર્ટી પહેલીવાર હરિયાણામાં સંપૂર્ણ શક્તિ સાથે ચૂંટણી લડી રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી ઈશ્વરની કૃપા અને તમારી દુઆઓને કારણે ભાજપના કાવતરાં અને ચંગુલમાંથી બહાર આવી ગયા છે. હવે અરવિંદ કેજરીવાલજી હરિયાણા ચૂંટણી પ્રચાર માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અરવિંદ કેજરીવાલજી 20 સપ્ટેમ્બરથી હરિયાણા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. અરવિંદ કેજરીવાલજી કાલે યમુનાનગરની જગાધરી વિધાનસભામાં તેમનો પ્રથમ રોડ શો કરશે. જગાધરી બાદ અરવિંદ કેજરીવાલ ડબવાલી, રાણિયા, ભિવાની, મહમ, પુંડરી, કલાયત, રેવાડી, દાદરી, આસંધ, બલ્લભગઢ અને બાડરામાં પણ ચૂંટણી પ્રચાર કરશે. હાલમાં અરવિંદ કેજરીવાલજી 11 જિલ્લાઓમાં ચૂંટણી પ્રચાર કરશે, જ્યાં તેમના 13 કાર્યક્રમો થશે. પછીનો તેમનો શેડ્યૂલ આવતા થોડા દિવસોમાં મીડિયા સાથે શેર કરવામાં આવશે.
રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકે આગળ જણાવ્યું કે જો તમે હરિયાણાની રાજનીતિ જુઓ તો આ મોટું સ્પષ્ટ છે કે ભાજપ આ વખતે સંપૂર્ણ રીતે હરિયાણાથી દૂર થવાની છે. છેલ્લાં 10 વર્ષથી ભાજપની સરકાર હરિયાણામાં ચાલી રહી છે. ભાજપને પોતાને જ તેમના મુખ્યમંત્રી પર વિશ્વાસ નહોતો, તેથી તેમણે મનોહર લાલ ખટ્ટરને મુખ્યમંત્રી પદેથી હટાવીને નાયબસિંહ સૈનીને નવો મુખ્યમંત્રીબનાવ્યા. સવાલ તો થાય કે ભાજપને અંતિમ વર્ષમાં નવા મુખ્યમંત્રી લાવવાની શું જરૂર પડી? તેઓએ ખેડૂતો સાથે અન્યાય કર્યો, તેમનું અપમાન કર્યું. જવાનો સાથે અન્યાય કર્યો અને તેમનું અપમાન કર્યુ, અમારી માતાઓ અને બહેનોનાં માન-સન્માન સાથે ખોટો વર્તન કર્યો. હરિયાણામાં બેરોજગારી તેના શિખરે છે, મોંઘવારી રેકોર્ડ તોડ છે. ચારેબાજુ કુપ્રશાસન અને અવ્યવસ્થા ફેલાઈ છે. ભાજપને ખબર છે કે તે આ વખતે હરિયાણામાં તેમનો સફાયો થવાનો છે.
સંધીપ પાઠકે આગળ જણાવ્યું કે હવે મોટો સવાલ એ થાય છે કે જ્યારે બીજેપી હરિયાણાથી જઈ રહી છે, જનતા પરિવર્તન લાવી રહી છે તો આ પરિવર્તનમાં કઈ પાર્ટીને તક મળશે? હરિયાણામાં પહેલાં જનતાએ 5 વર્ષ એક પાર્ટીને તક આપી, પછી 10 વર્ષ બીજી પાર્ટીને તક આપી અને હજી 10 વર્ષોથી ત્રીજી પાર્ટીની સરકાર છે. તમામ પક્ષોને હરિયાણાની જનતાએ તક આપી છે. હરિયાણામાં કોઈપણ એવી પાર્ટી નથી જે કહી શકે કે અમને અહીંની જનતાએ તક આપી નથી. હવે સવાલ એ થાય છે કે શું આ તમામ પાર્ટીઓએ તેમની જવાબદારીઓનું યોગ્ય રીતે નિર્વહન કર્યું? શું તેમણે જનતાની તે સેવા કરી જે જનતા તેમના પાસેથી ઈચ્છતી હતી? આનો સીધો અને સરળ ભાષામાં જવાબ છે કે તેમણે હરિયાણાની જનતાની કોઈ સેવા કરી નથી.
તેમણે આગળ કહ્યું કે હરિયાણાની જનતા તમામ પક્ષોથી કંટાળી ગઈ છે, હવે તે પરિવર્તન ઈચ્છે છે. આ વખતે હરિયાણાની જનતાના સામે પહેલીવાર અરવિંદ કેજરીવાલજી આમ આદમી પાર્ટીને લઈને ઉતર્યા છે. હવે હરિયાણાની જનતાના સામે પરિવર્તન માટે આમ આદમી પાર્ટી એક વધુ વિકલ્પ છે. હરિયાણાની જનતાએ પંજાબ અને દિલ્હી સરકારના કામોને નજીકથી જોયાં છે. આ કામોને જોઈને હરિયાણાની જનતા આ વખતે પરિવર્તન માટે જશે અને અરવિંદ કેજરીવાલજીની નવી અને ઈમાનદાર રાજનીતિ માટે આમ આદમી પાર્ટીને મત આપશે.
ગુજરાત પ્રવાસી ન્યુજ અમદાબાદ

2 Comments
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.