રિપોર્ટ: બ્યુરો ચીફ, ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગના માર્ગદર્શન હેઠળ ભવ્ય આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ યોજાયો. સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ-બહેનો, યુવાનો અને મહિલાઓ ઉત્સાહભેર જોડાયા હતા.
કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવા, રાજ્ય સરકારના મંત્રી નરેશભાઈ પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા સહિત સ્થાનિક આગેવાનો અને સમાજના અગ્રણી વ્યક્તિઓ હાજર રહ્યા.
ભગવાન બિરસા મુંડાને વંદન સાથે સંમેલનની શરૂઆત
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ભગવાન બિરસા મુંડાને વંદન કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી. તેમણે જણાવ્યું કે આદિવાસી સમાજની દેશપ્રેમી ભાવના અને પરંપરાગત મૂલ્યો સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણારૂપ છે.
તેમણે ઉલ્લેખ કર્યો કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત અને દેશના આદિવાસી વિસ્તારોમાં ઝડપી વિકાસ થયો છે. અગાઉ જે વિસ્તારોમાં માર્ગ, વીજળી, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓનો અભાવ હતો, ત્યાં હવે સશક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થયું છે.
“આદિવાસી સમાજ અને ભારતીય જનતા પાર્ટી એક સિક્કાની બે બાજુ છે,” એમ તેમણે જણાવ્યું.
અગાઉના શાસન પર પ્રહાર
તેમણે કોંગ્રેસના શાસનકાળ પર નિશાન સાધતા જણાવ્યું કે અગાઉ આદિવાસી વિસ્તારો વિકાસથી વંચિત રહ્યા હતા. “રસ્તા પર ખાડા નહીં, ખાડાઓમાં રસ્તા શોધવા પડતા હતા,” એમ કહી તેમણે જૂની પરિસ્થિતિનું વર્ણન કર્યું.
તેમણે કહ્યું કે હવે ડબલ એન્જિન સરકારના કારણે વિકાસની ગતિ વધુ તેજ બની છે.
બજેટમાં આદિવાસી કલ્યાણને પ્રાથમિકતા
નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના તાજા બજેટમાં આદિવાસી અને વંચિત વર્ગ માટે અનેક નવી યોજનાઓ જાહેર કરવામાં આવી છે.
આદિવાસી વિસ્તારોમાં હાઈ-સ્પીડ ઇન્ટરનેટ માટે નવા મોબાઈલ ટાવરો ઉભા કરવાની યોજના છે, જેથી નાના અને દૂરસ્ત ગામોમાં પણ ડિજિટલ સેવાઓ સુલભ બને.
તેમણે યુવાનોને શિક્ષણ અને રોજગારના નવા અવસરોનો લાભ લેવા અપીલ કરી.
1000થી વધુ કાર્યકર્તાઓનો ભાજપામાં પ્રવેશ
સમારોહ દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 1000થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયો ખેસ ધારણ કરી ભાજપામાં જોડાણ કર્યું.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આપના પૂર્વ ઉમેદવાર ડૉ. પ્રફુલભાઈ વસાવા, એડવોકેટ રાજ વસાવા, કોંગ્રેસના આગેવાન અનવરભાઈ વસાવા અને શ્યામસિંહ વસાવા સહિતના આગેવાનોનું ભાજપામાં સ્વાગત કર્યું.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી સમયમાં આદિવાસી સમાજ વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે.
ભવ્ય રેલીમાં ઉમટ્યો જનસાગર
સમારોહ પૂર્વે આયોજિત રેલીમાં સમગ્ર રૂટ પર આદિવાસી નાગરિકોમાં અદભુત ઉત્સાહ જોવા મળ્યો. લોકો રસ્તાઓ પર ઊભા રહી નાયબ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરતા જોવા મળ્યા.
આ કાર્યક્રમ માત્ર રાજકીય સમારોહ નહીં પરંતુ આદિવાસી ગૌરવ, એકતા અને વિકાસના સંકલ્પનો પ્રતિક બની રહ્યો હતો.











5 Comments
QQ88 – Cổng game cá cược trực tuyến quy tụ hàng triệu thành viên, nổi bật với Thể thao, Live Casino, Slot nổ hũ và Bắn cá đổi thưởng. Giao diện tối ưu, chơi mượt trên mọi nền tảng.
When I originally commented I clicked the -Notify me when new comments are added- checkbox and now each time a comment is added I get four emails with the same comment. Is there any way you can remove me from that service? Thanks!
узнать [url=https://fermacc.cc/]fermacc[/url]
на этом сайте [url=https://fermacc.cc]ferma обменник[/url]
go to my blog [url=https://mtgxplatform.com]mtgox claims[/url]