અમદાવાદ : રાજ્યશાસ્ત્ર વિભાગ, ગુજરાત યુનિવર્સિટી દ્વારા Swami Vivekanandaના ઐતિહાસિક શિકાગો ઉદ્દબોધનની ૧૨૫મી વર્ષગાંઠ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ રાષ્ટ્રીય જાગરણ અભિયાનના સંયુક્ત ઉપક્રમ તરીકે યોજાશે.
આ કાર્યક્રમ તા. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ બપોરે ૧:૦૦ વાગ્યે રાજ્યશાસ્ત્ર વિભાગના એમ–૩ સભાખંડ, સમાજવિદ્યા ભવન, ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાશે.
ઐતિહાસિક મહત્વ
ઈ.સ. ૧૮૯૩માં શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદજીએ “અમેરિકાના બહેનો અને ભાઈઓ” શબ્દોથી પોતાના ઉદ્દબોધનની શરૂઆત કરી હતી. તેમના આ ઉદ્ગારથી સમગ્ર વિશ્વ પ્રભાવિત થયું હતું. આ ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ, સહિષ્ણુતા, માનવતા અને સર્વધર્મ સમભાવનો મહિમા વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત થયો હતો.
કાર્યક્રમનો હેતુ
કાર્યક્રમ દરમિયાન મુખ્ય અને વિશિષ્ટ અતિથિઓ તેમજ પ્રાધ્યાપકો દ્વારા સ્વામી વિવેકાનંદજીની વિચારધારા, રાષ્ટ્રનિર્માણમાં તેમનું યોગદાન તથા યુવાનો માટેનો પ્રેરણાસભર સંદેશ વિષે વ્યાખ્યાન અને ચર્ચા યોજાશે.
વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ચેતના, સાંસ્કૃતિક ગૌરવ અને આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. આજના સમયમાં યુવાનોને આત્મવિશ્વાસ, કર્તવ્યનિષ્ઠા અને રાષ્ટ્રસેવાના માર્ગે પ્રેરિત કરવા વિવેકાનંદજીના વિચારો અત્યંત પ્રાસંગિક ગણાય છે.
હાર્દિક આમંત્રણ
રાજ્યશાસ્ત્ર વિભાગ દ્વારા તમામ વિદ્યાર્થીમિત્રો, સંશોધકો તથા રસિકજનોને આ પ્રેરણાત્મક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રેરણા મેળવવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.
બ્યુરો પ્રમુખ
ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ
🌐 અધિકૃત વેબસાઇટ: www.gujaratpravasi.com


1 Comment
QQ88 cung cấp cổng truy cập giải trí online hiện đại, hỗ trợ đa thiết bị, vận hành liền mạch và thuận tiện khi sử dụng.