Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Gujarat Pravasi News
આજે પાટણ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ની મિટિંગ નું વારાહી અતિથિ નિવાસ મા આયોજન કરવામાં આવ્યું જેમાં પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ , અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ , રતા ભાઈ પાટણ જિલ્લા પ્રમુખ , રમેશભાઈ હારીજ તાલુકા પ્રમુખ , લક્ષ્મણભાઈ ઉપ પ્રમુખ , ભાવેશભાઈ ઉપ પ્રમુખ , અનું ભા જનરલ સેક્રેટરી , પ્રહલાદ ગિરિ ખજાનચી શંકરભાઈ કો ઓર્ડીનેટર અને પાટણ જિલ્લા ના વીર નારી , શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા . આજ ની મિટિંગ મા અર્ધ લશ્કર ને થઈ રહેલ અન્યાય સામે આવનાર સમય મા કેવી રણનીતિ અપનાવી કેવી રીતે અર્ધ લશ્કર ને માન સન્માન સુવિધા…
રાજસ્થાન હરિયાણા થી સાયબર માફિયાઓને ઝડપી પાડતી અમદાવાદ સાયબર ક્રાઇમ… અમદાવાદ શહેરમા સાયબર માફિયાઓ જુદી જુદી રીતે લોકોને ભોળવીને સાયબર ક્રાઇમને અંજામ આપે છે. જે અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમા ફરિયાદ નોંધાય છે. આ ગુન્હાખોરીનું પ્રમાણ વધતા અમદાવાદ પોલીસ એકશનમા આવી ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન આ ગુનાહીત પ્રવૃત્તિ રાજસ્થાનના ભરતપુર જીલ્લાના મેવાત વિસ્તારના તથા હરીયાણાના મેવાત વિસ્તારના જુદા જુદા ગામો માંથી આચરવામાં આવતી હોવાની માહીતી મળી હતી. જે માહિતીના આધારે આ ગામોમા મેગા સર્ચ ઓપરેશન કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સાયબર: પીઆઇ જીતુ યાદવ
Ahmedabad Airport Police… બલિનકીટ ઝોમેટોની હોમમાં ફૂડ ડિલીવરીમાં કામ કરતા 150 કર્મચારીઓને રાતો રાત છુટા કરી દેતા હોબાળો 150 કર્મચારીઓને પગાર આપ્યા વગર છુટા કરી દેવાયા કર્મચારીઓએ પોલીસને ફોન કરતા પોલીસ ની તપાસ સામે શંકા…
તા.૦૮/૦૪/૨૦૨૩ વેપારી સાથે બંગ્લાની છેતરપીંડી ના કેસમાં કિરણ પટેલ ધરપકડ કરતી અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચ અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચ ના સંયુકત પોલીસ કમિશ્નર શ્રી પ્રેમ વીર સિંગ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ચૈતન્ય આર. મંડલીક સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી બી.એ.પટેલ નાએ આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી.આલ દ્વારા ભોગ બનનાર વેપારીની ફરિયાદ આધારે કિરણ પટેલ વિરુધ્ધ ગુનો દાખલ કરેલ છે. ડી.બી.સી. પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં ૧૧૧૯૧૦૧૧૨૩૦૦૭૩/૨૦૨૩ ધી ઇપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૧૭૦, ૧૨૦(બી) મુજબ ના ગુનાના કામે નામદાર કોર્ટના ટ્રાન્સરફર વોરંટ આધારે આરોપી કિરણભાઇ ઉર્ફે બંસી S/O જગદીશભાઇ પટેલ ઉવ.૪૫ રહે. એ/૧૭, પ્રેસટીજ બંગ્લોઝ, જીવી બા સ્કુલની બાજુમાં, ઘોડાસર…
એસટી નિગમ દ્વારા 9 એપ્રિલે યોજાનાર જુનિયર ક્લાર્ક ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને સેન્ટર પર પહોંચાડવા.
સ્ટોરી: એસટી નિગમ દ્વારા 9 એપ્રિલે યોજાનાર જુનિયર ક્લાર્ક ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને સેન્ટર પર પહોંચાડવા માટે વિશિષ્ટ વ્યવસ્થા કરવામાં આવી એન્કર એસટી નિગમ દ્વારા 9 એપ્રિલે યોજાનાર જુનિયર ક્લાર્ક ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને સેન્ટર પર પહોંચાડવા માટે વિશિષ્ટ વ્યવસ્થા કરવામાં આવી છે ઓનલાઇન બુકિંગમાં 250 જેટલી ટ્રિપો મૂકી હતી સમગ્ર રાજ્યમાં 202 જેટલી પૂરેપૂરી બુક થઈ ગઈ છે બાકીની ટ્રીપોનું બુકિંગ ચાલુ છે પરીક્ષાર્થીઓ માટે એસટી નિગમ બધી જ રીતે તૈયાર છે એક્સ્ટ્રા સંચાલન માટે પણ તૈયારી કરી છે તમામ ડેપો પર અલગ સ્ટાફ મૂકવામાં આવ્યો છે જેથી પરીક્ષાર્થીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે. બાઈટ-બાઈટ-કે ડી દેસાઈ એસ ટી…
9એપ્રિલ રવિવારના રોજ રીક્ષા ચાલક એશોએશિએશનદ્વારા પણ વિદ્યાર્થીઓને મદદ પૂરી પાડવાની તૈયારી દર્શાવી છે
9 એપ્રિલ રવિવારના રોજ પંચાયત પસંદગી સેવા મંડળ દ્વારા સમગ્ર ગુજરાતમાં જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવ લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવશે જેમાં દરેક વિદ્યાર્થીઓને પોતાના જિલ્લા ફેર બદલીને પણ પરીક્ષા આપણ જવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે જેના કારણે વિદ્યાર્થીઓ વધારે મુશ્કેલીમાં ન મુકાય તે માટે એસટી નિગમ બાદ હવે રીક્ષા ચાલક એશોએશિએશન દ્વારા પણ વિદ્યાર્થીઓને મદદ પૂરી પાડવાની તૈયારી દર્શાવી છે. વિજય મકવાણા, અમદાવાદ રીક્ષા ચાલક યુનિયન, પ્રમુખ
ગુવાહાટી : રાષ્ટ્રપતિ મુર્મુએ સુખોઈ ફાઇટર જેટમાં ઉડાન ભરી તેજપુર એરબેસથી ટેક-ઓફ કર્યું, પ્રતિભા પાટિલ પછી આવું કરનારા બીજા મહિલા રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને અસમના તેજપુર એરફોર્સ સ્ટેશન પહોંચવા પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. રાષ્ટ્રપતિ એકફોર્સ ઓફિસરો સાથે એરબેસ પહોંચ્યાં, અહીં તેઓ ફ્લાઇંગ સૂટમાં જોવા મળ્યાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે 2009માં ઉડાન ભરી હતી પ્રતિભા પાટીલે પણ T 90 ટેન્ક પર સવારી કરી હતી નિર્મલા સીતારમણ 2018માં સુખોઈ 30MKIમાં ઉડાન ભરી હતી
ગુજરાતટાઈટન્સ અનેચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનાસપોર્ટવધારે.
ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી પહેલી મેચમાં ભારતીય પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના સપોર્ટ વધારે જોવા મળી આવ્યા હતા. જેને લઇને જણાવ્યું હતું કે મહેન્દ્રસિંહ ધોનીએ ભારતના મહાન ખેલાડીઓ માંથી એક ખેલાડી છે. તેના ચાહક પણ આપણા દેશની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી આવે છે જેથી ધોનીના ચાહકો વધારે હોવા તે નવાઈ નથી હું ખુદ પણ એમ.એસ.ધોનીનો ચાહક છું અને જે ટીમમાં ધોની એક ટીમ કયા સુધી લઈ જઈ શકે તે આપણે સારી રીતે જોયું છે. અરવિંદર સિંહ, ગુજરાત ટાઈટન્સ,COO