મોદી સાહેબ ૨૦૨૪ લોકસભા ચૂંટણીની સભાઓમાં મોટેભાગે આપનાં દ્વારા કરવામાં આવતાં ભાષણો સાંભળીને એક નાગરિક તરીકે ખૂબજ દુઃખ અને આશ્ચર્ય થાય છે ગુજરાતની ભાજપ સરકાર આપની અમૂક વાતો નહીં માનતી હોય એવું બની શકે?
અમદાવાદમોદીજી વિકસિત દેશોમાં જ્યારે ચૂંટણી હોય ત્યારે દેશની વિદેશ નિતી અને સંરક્ષણ નિતી તેમજ આર્થિક નીતિ વિગેરે મુદ્દે ચર્ચા થાય છે પરંતુ ૨૦૨૪ લોકસભાની ચૂંટણી દરમિયાન લગભગ દરેક સભામાં મોટેભાગે આપશ્રી કોંગ્રેસ અને હિન્દુ મુસ્લિમ તેમજ પાકિસ્તાન અને હવે તો ભેંસોની વાતો કરો છો આનો શું મતલબ? શું ભારત આ રીતે વિકસિત રાષ્ટ્ર બની જશે? ….મોદી સાહેબ વિકસિત તો જવાદો વિકાસશીલ દેશોની યાદીમાંથી પણ આપણે બહાર નીકળી ગયા છીએ તેમજ હજારો અબજોપતિ ભારત છોડીને વિદેશમાં સ્થાયી થઈ ગયા છે અને લાખો યુવાનો ઉચ્ચ અભ્યાસ કે સ્થાયી થવા વિદેશ જઈ રહ્યા છે અને ભારતનું દેવું જે ૨૦૧૪ માં ૫૫ લાખ કરોડ જેટલું હતું એ ફક્ત દસ વર્ષમાં લગભગ ચાર ઘણું વધીને ૨૦૫ લાખ કરોડે પહોંચી ગયું છે આવાં સમાચારો અવારનવાર અખબારોમાં પ્રસિદ્ધ થાય છે… જોકે પ્રચાર એવો થાય છે કે આપણે વિશ્વ ગુરુ બની ગયા છીએ ભારત વિકસિત રાષ્ટ્ર બને એ આપણા માટે ગૌરવની વાત હશે પરંતુ એનાં માટે આપણું લક્ષ્ય દેશનો સર્વાંગી વિકાસ થાય અને દેશ આર્થિક રીતે સદ્ધર બંને એ દિશામાં હોવું જોઈએ આગામી પાંચ વર્ષમાં દેશમાં ગરીબી કંઈ રીતે ઓછી થાય એનું આયોજન કરવાની જગ્યાએ દેશની સાંઈઠ ટકા વસ્તી એટલે કે ૮૦ કરોડ લોકોને બીજા પાંચ વર્ષ સુધી મફત અનાજ આપવામાં આવશે આ શું આપણી સિધ્ધિ છે?… મોદી સાહેબ આપનાં દસ વર્ષનાં શાસન પછી ૨૦૧૪ ની સરખામણીએ (૧) મોંઘવારી ઘટી છે? (૨) બેરોજગારી ઘટી છે? (૩) પેટ્રોલ ડીઝલ નાં ભાવ ઘટ્યા છે? (૪) રસોઈ ગેસ નાં ભાવ ઘટ્યા છે? (૫) ડૉલર સામે રૂપિયો મજબૂત થયો છે? (૬) ખેડૂતોની આવક બમણી થઈ છે? (૭) વિદેશમાં જમા કાળું નાણું પરત આવ્યું છે? (૮) આતંકવાદ અને નક્સલવાદ બંધ થયાં છે? એનાં કારણે શહીદ થતાં જવાનોની સંખ્યામાં ઘટાડો થયો છે? (૯) ચીન દ્વારા થતી ઘૂસણખોરી (ભાજપના જ નેતા શ્રી સુબ્રમણ્યમ સ્વામીએ કરેલ દાવા મુજબ ચીને ભારતની અમૂક જમીન ઉપર કબજો કર્યો છે) સામે લાલ આંખ કરી છે? (૧૦) કરોડો બાંગ્લાદેશી ઘૂસણખોરોને પરત મોકલવામાં આવ્યા છે? (૧૧) કાશ્મિરી પંડિતોનું પુનઃવસન થઈ શક્યું છે? (૧૨) ભારતનું દેવું ઘટ્યું છે? (૧૪) ભારતનો જીડીપી વધ્યો છે? (૧૫) દેશમાં ગરીબી ઘટી છે? (૧૬) ૨૦૨૨ સુધીમાં દરેક પરિવારને ઘરનું ઘર મળી ગયું? …. ચાલો હિન્દુત્વ બાબતે વાત કરીએ તો (૧) દેશમાં ગૌહત્યા બંધ થઈ છે? (૨) દેશમાંથી ગૌમાંસની નિકાસ બંધ થઈ છે? (૩) હિન્દુઓનું ધર્માંતરણ બંધ થયું છે? (૪) ભારત હિન્દુ રાષ્ટ્ર બન્યું છે? (૫) દેશમાં લવજેહાદ બંધ થઈ છે? (૬) સનાતન ધર્મનાં દેવી દેવતાઓનું અપમાન બંધ થયું છે? (૭) પ્રભુ શ્રીરામ નું મંદિર પણ સુપ્રીમ કોર્ટનાં આદેશ દ્વારા બની શક્યું છે સરકારે રામજન્મભૂમિ ની જમીન સંપાદન કરવાની હિંમત કેમ નહોતી કરી? …. (બેત્રણ વાતો ગુજરાતની કરું તો ગુજરાતમાં શ્રી જગન્નાથ મંદિરની કરોડોની જમીન તમાંમ નિયમો નેવે મૂકીને મફતના ભાવે મુસ્લિમને પધરાવી દેવામાં આવી છે આપનાં ધ્યાનમાં આ બાબત આવી હશે અને આપે કદાચ ગુજરાત સરકારને સુચના પણ આપી હશે પરંતુ આ જમીન મુસ્લિમ પાસેથી પરત લેવાની જગ્યાએ અને આ કૌભાંડ કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની જગ્યાએ ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી આ કૌભાંડ કરનાર વ્યક્તિની બાજુમાં જાહેર મંચ પર બેઠેલા જોવા મળે છે આમાં મારે શું સમજવું? આપે સ્વાતંત્ર્ય દિને કહ્યું હતું કે આવો સાથે મળીને ભ્રષ્ટાચાર સામે લડીએ એમાંથી પ્રેરણા લઈને ગુજરાતમાં ચાલતાં ગેરકાયદે દારુના અડ્ડાઓ અને એમાં થતો ભ્રષ્ટાચાર રોકવા મેં ગુજરાત સરકારને મદદરૂપ થવા તૈયારી બતાવી પરંતુ મને કોઈ જવાબ ન મળ્યો ભ્રષ્ટાચાર રોકવાની આપની આ વાતમાં ગુજરાત સરકારને રસ નહીં હોય? ગુજરાત એસટી નિગમ વર્ષોથી કરોડોની ખોટ કરે છે જો યોગ્ય વહીવટ કરવામાં આવે તો આ નિગમ ને ખોટની જગ્યાએ નફો કરતું કરી શકાય છે જોકે ગુજરાત સરકારને એમાં પણ રસ હોય એવું લાગતું નથી ખોટ તો પ્રજાનાં ટેક્સમાંથી જ ભરપાઈ કરવાની છે ને ક્યાં ઘરે થી લાવીને ભરવાનાં છે?)…. મોદીજી આવાં તો અનેક સવાલો છે જેની આપ વાત જ નથી કરતાં બસ જ્યારે હોય ત્યારે કોંગ્રેસે આમ કર્યું અને કોંગ્રેસે તેમ કર્યું આ બધું ૨૦૧૪ સુધી બરાબર હતું પરંતુ હવે શું છે?… મોદીજી કોંગ્રેસ ઉપર લોકોને ગુસ્સો હતો એટલે તો આપને જીતાડી ને દિલ્હીની ગાદી ઉપર બેસાડ્યા છે દેશની જનતા એ જાણવા માગે છે કે આપે ૨૦૧૪ માં જે વાયદાઓ કર્યાં હતાં એમાંથી કેટલાં વાયદાઓ પુરાં કર્યાં એ જણાવો અને આપની ભાષામાં કહું તો દસ વર્ષનું રીપોર્ટ કાર્ડ જનતા સમક્ષ મૂકો આપે બનાવેલાં એક્સો સ્માર્ટ સિટી નું લીસ્ટ જાહેર કરો…. દેશનાં હજારો કરોડ લઈને વિદેશ ભાગી ગયેલા લોકોને દેશમાં પરત લાવી જેલભેગા ક્યારે કરશો એ જણાવો….. એક સમયે આપ ૪૯ ટકા એફડીઆઈ નો વિરોધ કરતાં હતાં એને દેશ માટે ખતરાની ઘંટી ગણાવતાં હતાં અને શાસનમાં આવ્યા એવાં ૧૦૦ ટકા એફડીઆઈ ને મંજૂરી આપી દીધી આનું રહસ્ય તો જણાવો… મોટાં લોકોની લોનનાં લાખો કરોડ રૂપિયા રાઈટ ઑફ કર્યાં આનાથી બેન્કોને જે નુકસાન થયું એ કોણ ભોગવશે એ તો જણાવો…. આ બધું અને ૨૦૧૪ માં કરેલ કેટલાં વાયદાઓ પુરાં કર્યાં એ જણાવવાની જગ્યાએ કોંગ્રેસની ટીકાઓ કરે રાખો છો એનાંથી દેશની સમસ્યાઓનો ઉકેલ આવી જશે? શું આવાં ભાષણોથી ભારત વિકસિત રાષ્ટ્ર બની જશે?… મોદી સાહેબ એક સમયે હું આપનો ચુસ્ત સમર્થક હતો મેં આપને સંઘર્ષ કરતાં જોયાં છે પરંતુ સત્તામાં આવ્યા પછી આપની કથની અને કરણીમાં જમીન આસમાનનો ફરક પડી ગયો છે આપની પાસે એક હિન્દુ તરીકે અને એક નાગરિક તરીકે જે અપેક્ષાઓ હતી એમાંથી દસ ટકા પણ પુરી થઈ શકી નથી અને આપનાં દસ વર્ષના શાસન પછી હવે આપની વાત ઉપર ભરોસો બેસતો નથી…. છેલ્લે એક વાત નહીં પણ મારી વેદનાં આપની સમક્ષ મૂકીને વિરમું છું કે આપ હંમેશા કહો છો કે આપ ગરીબનાં દિકરા છો અને આપનાં માતુશ્રીએ ખૂબ તકલીફો વેઠીને આપનાં પરિવારનો ઉછેર કર્યો છે તો પછી ગરીબ માટે એક એક રૂપિયાની શું કિંમત હોય છે એનાંથી આપ સારી રીતે વાકેફ હશો જ તો પછી આપની સરકારની પ્રસિદ્ધિ પાછળ છેલ્લા દસ વર્ષમાં હજારો કરોડનો જે બિનજરૂરી ખર્ચ કરવામાં આવ્યો એ ખર્ચ રોકવા માટે એક ગરીબના દિકરા તરીકે આપે કોઈ પગલું ભર્યું હોત તો ચોક્કસ આનંદ થાત પરંતુ એવું નથી થયું અને આની પાછળ દેશની જનતાનાં પરસેવાનાં હજારો કરોડ વપરાયા છે એ હકીકત ને કોઈ નકારી શકે તેમ નથી….. મોદી સાહેબ સમય મળે ત્યારે છેલ્લા દસ વર્ષમાં ફક્ત જાહેરાતોની પાછળ વપરાયેલી રકમમાંથી કેટલાં ગરીબો માટે ઘર, શાળાઓ,દવાખાનાં બનાવી શકાયા હોત એનો હિસાબ ચોક્કસ કરજો …. મોદી સાહેબ આ આપની ટીકા નથી આપશ્રી પણ જેતે સમયે દેશનાં વડાપ્રધાનને સવાલ કરતાં હતાં એમ મેં પણ આપને સવાલ કર્યા છે અને આપ હંમેશા જેનાં વખાણ કરો છો એ ભારતનાં બંધારણે એક નાગરિક તરીકે મને આપેલાં વાણી સ્વતંત્રતાનો અધિકારની રૂએ મેં મારી રજુઆત કરી છે છતાં આપને કે આપનાં કોઈ ટેકેદારોને ખોટું લાગ્યું હોય તો ક્ષમા ચાહું છું…
2 Comments
Very informative and funny! For those curious to know more, check out: FIND OUT MORE. Let’s discuss!
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.